સર્વપક્ષીય બેઠકમાં આતંકી કેમ્પોને ધ્વંસ કરવાની તમામ નેતાઓની માગણી
સર્વપક્ષીય બેઠકમાં આતંકી કેમ્પોને ધ્વંસ કરવાની તમામ નેતાઓની માગણી
Blog Article
કાશ્મીરના પહેલગામ આતંકી હુમલા પછી મોદી સરકારે ગુરુવારે સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. આ બેઠકમાં તમામ પક્ષોના નેતાઓએ એકસૂરે ત્રાસવાદ સામે નિર્ણાયક કાર્યવાહી કરવાની અને આતંકી કેમ્પોને ધ્વંસ કરવાની માગણી કરી હતી. આ બેઠકમાં સરકારે સુરક્ષામાં થયેલી ચુકનો સ્વીકાર કર્યો હતો. વિપક્ષો સાંસદોએ સુરક્ષામાં ખામીઓનો મુદ્દો ઉઠાવ્યો હતો, પરંતુ ખાતરી આપી હતી કે તેઓ આતંકવાદના મુદ્દાનો સામનો કરવામાં સરકારની સાથે છે.
તમામ પક્ષોની બેઠક પછી આમ આદમી પાર્ટી (AAP)ના રાજ્યસભા સાંસદ સંજય સિંહે જણાવ્યું હતું કે તમામ પક્ષોએ આતંકવાદી શિબિરોના ખાતમા માટે સરકારની કાર્યવાહીની માંગ કરી છે. તૃણમૂલ કોંગ્રેસના સાંસદ સુદીપ બંધ્યોપાધ્યાયે જણાવ્યું હતું કે સંભવિત સુરક્ષા ખામીઓના મુદ્દા પર પણ ચર્ચા થઈ હતી, પરંતુ વિપક્ષે ખાતરી આપી હતી કે તે આતંકવાદ સામેની લડાઈમાં સરકારની સાથે છે. આતંકવાદને નાબૂદ કરવા માટેની આ લડાઈમાં સમગ્ર દેશે એકજૂથ થવું પડશે.